Tuesday, April 15, 2025

 Hello.. કેમ છો.. કોલેજમાં પરીક્ષાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે.. ત્યારે એક વિચાર આવે કે, દરેક

 વિદ્યાર્થીએ કેટલાંક પ્રશ્નો પોતાની જાતને જરૂર પૂછવા જોઈએ જેવાકે,

  • શું  આપણે  અભ્યાસક્રમ માં જેટલું છે, એટલું પૂરું ભણી રહ્યા છીએ?
  • શું આપણે એક સેમિસ્ટરમાં પૂરતું જ્ઞાન મેળવીએ  છીએ?
  • શું આપણે ક્લાસરૂમ ને બદલે અન્ય પરિક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત રહેતા, રોજના 8 થી 10 કલાકનું વાંચન કરતાં હોઈએ છીએ ત્યારે, તેમાં  કેટલી સફળતા મળે છે તેની ક્યારેય  નોંધ લીધી છે ?
  • શું  આપણે જેટલો સમય અન્ય પરીક્ષાઓ આપવા માટે ઇન્વેસ્ટ કર્યો તેટલું આઉટપુટ મળ્યું છે?
  • શું સ્નાતક થાય પછી  કોઈપણ પ્રકારની નોકરી કે બિઝનેસ કે કોઈ સ્ટાર્ટઅપ કરવા માટે આપણે તૈયાર છીએ?
  • ક્યાંક એવું તો નથી ને કે, ના સારા  Graduate થઈ શકયા  કે ના સારી નોકરી મેળવી શક્યા..!
    વિદ્યાર્થીમિત્રો આ સવાલો તમે ચોક્કસ તમારી જાતને દિલથી પૂછજો. કારણકે આને  કારણે ઘણા તમારા જેવા

 હોનહાર વિદ્યાર્થીઓ ડિપ્રેશન નો શીકર બની જતાં હોય છે. અથવાતો નિરાશાને કારણે પોતાની અંદરની

 શક્તિઓને ઓળખી શકતા નથી....  તો આ માટેનો ઉપાય શું?  આ પ્રશ્નનો જવાબ અહી આપ્યો છે.. આશા છે

 તમને મદદરૂપ થશે. 

  • કોલેજમાં આવતા  દરેક વિદ્યાર્થી એ  પોતાના એકેડેમીક સત્ર દરમ્યાન રોજ કોલેજના ક્લાસરૂમ માં જઈને લેકચર એટેન્ડ કરવા. જેથી તમે જે વિષય સાથે સ્નાતક થવાના છો એ વિષય ને સારી અને સાચી રીતે  જાણી  શકો.  
  • કોલેજમાં રેગ્યુલર શિક્ષણ મેળવવાથી તમારી અંદર એક વિશ્વાસ આવશે, અને ક્લાસરૂમમાં જે વિવિધતા સભર જ્ઞાન આપતું હોય તેને કારણે તમારી વિવેચનની ક્ષમતા માં વધારો થશે. 
  • કોલેજમાં રેગ્યુલર લીધેલા શિક્ષણ માટે  રોજના 3 થી 4 કલાકનું તમારું સમયનું ઇન્વેસ્ટમેન્ટ તમારો સર્વાંગી વિકાસ કરશે. 
  • કોલેજ ના અભ્યાસ દરમ્યાન રોજ નું  1 થી 1.30 કલાકનું તમારું ગ્રંથાલય માં વાંચન જેમકે, ગ્રંથાલયમાં આવતા કરંટ અફેર્સ ના સામયિકો, અન્ય જર્નલ્સ , જ્ઞાન સંપન્ન અન્ય સામયિકો, રેફ્રન્સ બુક્સ, સેલ્ફ ડેવલપમેન્ટ માટેના સામયિકો-પુસ્તકો વગેરે તમારું ધ્યેય સિદ્ધ કરવામાં તેમજ તમારા ભવિષ્યના ધડતરમાં મુખ્ય સ્ત્રોત બની રહેશે. ( મારા અનુભવને આધારે હું આ વાત દ્રઢતાથી કહી રહી  છું)
  • બાકીના સમયમાં બીજા 3 કલાકનું   રોજનું  વિશેષ પરીક્ષાઓ માટેનું સતત વાંચન તમને 100% મદદરૂપ થશે. 
  • વિદ્યાર્થીઓએ રિફ્રેશમેન્ટ માટે અને માનસિક- શારીરિક તંદુરસ્તી માટે  યોગ, કસરત, જીમ તેમજ સ્પોટ્સ માં પણ થોડોક સમય ચોક્કસ ફળવવો જોઈએ. 
  • અત્યાધુનિક આ ટેકનોલોજીના સમયમાં આજનો યુવાન ત્યારેજ સફળ થશે જ્યારે તે પોતાની બુદ્ધિક્ષમતા નો અને સમયનો પૂરેપૂરો ઉપયોગ કરશે સાથે  મોબાઈલ ટેકનોલોજી અને world wide web -www ને સમજીને વાપરશે.. સફળ થવું હોય તો આટલું કરવું પડે...
        તમને મારી આ વાત કેવી લાગી તે માટે જરૂર કમેંટ બોક્સમાં લખજો..હવે  પછી આપણે નવી  શિક્ષણ પ્રણાલીને  સમજીશું. Take Care and All the best for your bright future...


(Ref : https://www.pinterest.com/pin/20-quotes-about-libraries--36591815713983065/ )સાભાર 

  ગ્રંથાલય વિભાગ સૂચના DATE: 13-12-25   બી.એ. અને એમ. એ. ના જે વિદ્યાર્થીઓને  ગ્રંથાલયની વાચક ટિકિટ લેવાની બાકી રહી ગઈ હોય, તે દરેક ...